Gujarati Vyakaran And Sahitya
Gujarati Vyakaran And Sahitya

Nipat નિપાત











********નિપાત ********

નિપાત એટલે શું ? 

નિપાત એટલે અવ્યય . 
જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર ન થાય તેને નિપાત , કે અવ્યય કહે છે . 
જુદા – જુદા અર્થમાં એ પડે છે . ( નિ + પ = પડવું ) તેથી તેને નિપાત તરીકે ઓળખવામાં આવે છે . 
|| નિપાતો આ પ્રમાણે છે : –

 અને , જો , તો , જ , યા , કે , વા , હવે , તથા , પણ , પરંતુ વગેરે . ||

 ભાષામાં કેટલાંક એવા ઘટકો પણ હોય છે જે સંજ્ઞા , વિશેષણ , ક્રિયાવિશેષણ કે ક્રિયારૂપની સાથે આવીને ભાર , આગ્રહ , વિનંતી , સીમામર્યાદા વગેરે જેવાં અર્થોનો ઉમેરો કરે છે . ભાષાના આવા ઘટકોને ‘ નિપાત કહે છે . 

#*** નિપાતનાં મુખ્ય ચાર પ્રકારો છે : ***#
( 1 ) ભારવાચક 
( 2 ) સીમાવાચક 
( 3 ) વિનયવાચક 
( 4 ) પ્રકીર્ણ અથવા લટકણિયાંરૂપ . . 

( 1 ) ભારવાચક નિપાત 

ભારવાહી અર્થ બનાવે તે ભારવાચક નિપાત ,
 એટલે કે જયારે વાક્યના કોઈ . પદ ઉપર ભાર મૂકવાનો અર્થ આવતો હોય ત્યારે વપરાતા નિપાત એટલ ભારવાચક નિપાત . જ , તો , ય , પણ , સુદ્ધાં , વગેરે ભારવાચક નિપાતો છે .
ઉદાહરણો :
 છકડો જ કાતનાકે જ ઊભો રહી જાય . 
– ભણેલાં સુદ્ધો આવી ભૂલ કરે છે . – એમાં જાણવાની બાબતો પણ ઘણી છે . 
– કાદવ જોવો હોય તો એક ગંગા નદીને કાંઠે કે સિંધુને કાંઠે .
 – અમેયુ આજે ફરવા નીકળવાનાં છીએ .
 ઉપરનાં ઉદાહરણોમાં જ , સુદ્ધાં , પણ , તો , ય વગેરે ભારવાચક નિપાતો છે . 

( 2 ) સીમાવાચક નિપાત :

જેમાં સીમા – મર્યાદા અંકાતી હોય , સીમા – મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થતો હોય ત્યારે તે સીમાવાચક નિપાત કહેવાય .

 કેવળ , ફક્ત , માત્ર , સાવ , તદન , છેક વગેરે સીમાવાચક નિપાતો છે .




 ઉદાહરણો : 

– કેવળ તમારા માનું ખાતર હું આવીશ . 
 તદન સામાન્ય બાબતમાં ઉગ્ર ચર્ચા ચાલી ,
 મેળામાં તે સાવ એકલો પડી ગયો હતો . 
 છેક આવું થશે એવી મારી ધારણા નહોતી .

 ઉપરના ઉદાહરણોમાં કેવળ , તદ્દન , સાવ , છે કે , ફક્ત વગેરે સીમાવાચક નિપાતો છે .

 ( 3 ) વિનયવાચક નિપાત : 

જેમાં વિનય , વિવેક , માન , મોભો કે આદરનો અર્થ દર્શાવાતો હોય તેવા નિપાત તે વિનયવાચક નિપાત . 
‘ જી ‘ વિનયવાચક નિપાત છે .
 ઉદાહરણો : 

રૂબરૂ મળ્યાતુલ્ય માની પધારશોજી . 
મારી હતાશાનું કારણ સ્વામીજી સમજી શક્યા નહીં . 
 ગુરુજીના દર્શનથી બધાં દુ : ખો જતાં રહ્યાં .
 ઉપરનાં ઉદાહરણોમાં પધારશોજી , સ્વામીજી , ગુરુજી , દાદાજી , હાલાજી વગેરે વિનયવાચક નિપાતો દર્શાવે છે . 


4 ) પ્રકીર્ણ અથવા લટકણિયાંરૂપ નિપાત  : –  

આ વિનતી , આગ્રહ અથવા તો અનુમતિ વગેરે જેવાં અર્થમાં અને ક્યારેક તો એમ જ લટકણિયાંરૂપે પ્રયોજાય ત્યારે તેમને વાક્યના લટકણિયાંરૂપ પ્રયોજાતા નિપાત તરીકે ઓળખાવી શકાય .

 પ્રકીર્ણ અથવા લટકણિયાંરૂપ નિપાતો વાક્યના છેડે વધુ આવતાં હોય છે . 
ઉદાહરણો : 
થોડીક ચા લેશો કે ? 
 મને તમારી પેન આપશો કે ? 
 મને એમનું સરનામું લખવો તો . 

ઉપરના ઉદાહરણોમાં કે , તો , કેમ . એમ કે વગેરે પ્રકીર્ણ કે લટકણિયાંરૂપ નિપાતો છે . 

Nipat નિપાત Nipat નિપાત Reviewed by Rushikesh Kamariya on June 25, 2020 Rating: 5

No comments:

Popular

Gujarati vyakaran Visheshan

  વિશેષણ અને તેના પ્રકાર | Visheshan in Gujarati vyakaran વિશેષણ ની વ્યાખ્યા (Visheshan in Gujarati) : જે વાક્યના નામપદના અર્થમાં વધારો કરે ...

ads 728x90 B
Powered by Blogger.